રાતીદેવડી ગામ પાસે વાડામાં આગ, બે ગાય દાઝી જતા સારવારમાં

- text


વાંકાનેર : રાતીદેવડી ગામ પાસે વાડામાં આગ લાગતા બે ગાય દાઝી ગઈ હતી. તેને સારવાર હેઠળ રાખવામાં આવી છે.

- text

પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે વાંકિયા જવાના રસ્તે ગાય-ભેંસોના વાડામાં અજાણ્યા કારણોસર આગ લાગી હતી. જેથી, વાડામાં રહેલા 35 જેટલા ગાય-ભેંસો પૈકી 2 ગાયો દાઝી ગઈ હતી. જેને સારવાર હેઠળ રાખવામાં આવી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને આ બનાવની જાણ વાડાના માલિક તેજાભાઈ ભોજાભાઈ ફાંગલીયા (ઉ.વ. 42) દ્વારા કરવામાં આવી હતી. હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી. એમ. સોલંકી દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text