માળીયા (મી.)માં શુક્રવારે નિ:શુલ્ક સદગુરુ નેત્રમણિ કેમ્પ

- text


માળીયા (મી.) : માળીયા (મી.)ની સરકારી હોસ્પિટલ ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, ભારત સેવક સમાજ તથા મુર્હમ મોવર મુસાભાઇ મામદભાઈના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક સદગુરુ નેત્રયજ્ઞ નેત્રમણિ કેમ્પનું આયોજન આગામી તા. 7 ફેબ્રુઆરી શુક્રવારે સવારે 9થી 12 દરમિયાન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં આંખોના રોગોનું નિદાન કરી, જરૂરિયાતમંદ મોતિયાના દર્દીને હોસ્પિટલની બસમાં લઇ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી આપવામાં આવશે. તેમજ દર્દીને રહેવા, જમવા, ચા-પાણી-નાસ્તો, દવા, ટીપા આપવામાં આવશે. ઓપરેશન બાદ દર્દીને કેમ્પના સ્થળે પરત મૂકી જવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. વધુ વિગત માટે અલ્પેશ મોવર 98259 95640 નો સંપર્ક કરવાનો રહેશે.

- text