મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં વૈષ્ણવચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની પધરામણી

- text


મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ગઈકાલે તા. 23 જાન્યુઆરીના રોજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા સત્સંગસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સત્સંગસભામાં વૈષ્ણવચાર્ય પૂ. વ્રજરાજકુમારજી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જીવન જીવવાની કલા વિષયક સહન શક્તિ, ક્રોધ, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય, ભગવાનની ભક્તિ તેમજ નવો દિવસ નવી ઉર્જા સાથે આવે છે તેવી વાતો પોતાના વચનામૃતમાં કરી હતી. આ ઉપરાંત, વ્યક્તિના જીવનમાં સફળતા-નિષ્ફળતા વગેરે આવ્યા જ કરે છે પરંતુ તે ઝંઝાવાતોનો સામનો કઈ રીતે કરવો તે બાબતને ક્રિકેટની રમત સાથે જીવનની રમતને સરખાવીને કર્મ કરતા રહેવું, તે વિષય પર જ્ઞાનઅમૃત પીરસી તેઓએ વિદ્યાર્થીઓને ભણવાની સાથે સંસ્કાર સિંચન, જ્ઞાન અને જીવન વિષયક શ્રેષ્ઠ વિચારોનું ભાથું પૂરું પાડ્યું હતું.

- text

આ તકે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ સત્સંગ સભામાં હાજરી આપીં પૂ. વ્રજરાજકુમારજી તથા મહેમાનોની આભારવિધિ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text