અમરાપરમાં ભષ્ટ્રાચાર નાબુદી અર્થે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અમરાપર ગામમાં ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિત્તે ભષ્ટ્રાચાર નાબુદી અર્થે કાનૂની શિક્ષણ શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના એસ. એન. પૂજાણીના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકાના કાનૂની સલાહકાર મુકેશ વી. બારૈયા તથા એડવોકેટ અરવિંદભાઈ એમ. છગોલા, રાહુલ ડી. ડાંગર, પિયુષ ડી. ભટ્ટસણા તથા વિવેક એમ. ગઢવી દ્વારા ભષ્ટ્રાચાર નાબુદી અર્થે જાગૃત્તિ લાવવા અંગે તથા કાનૂની અને રેવન્યુની માહિતી આપવામાં આવી હતી. જેમાં અમરાપરના સરપંચ રસુલભાઈ એમ. બાદી, સહકારી મંડળીના પ્રમુખ અયૂનભાઈ મામદભાઈ બાદી તથા ઉપપ્રમુખ હુશેનભાઈ અલીભાઈ બાદી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.

- text