સુરજબારી પુલ પાસે બંધ ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, 12 મુસાફરોને ઇજા

- text


માળીયા (મી.) : માળીયા (મી.) સુરજબારી પુલ પાસે બંધ ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આશરે 10થી 12 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

પ્રાપ્ત વિગત મુજબ વલસાડથી ભુજ તરફ જઈ રહેલ એસ.ટી. બસ રાત્રે 3 કલાક આસપાસ માળીયા નજીક સુરજબારી પુલ પાસે હરીપર ગોળાઈથી આગળ દેવ સોલ્ટની નજીક રસ્તાની સાઈડ પર રહેલ બંધ ટ્રકની પાછળ બસ ઘુસી જતા આશરે 10થી 12 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા. આ બનાવની જાણ માળીયા, જેતપર,તથા ટોલનાકાની 108 એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી ને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માળીયા બાદ આપવામાં આવી હતી. તેમજ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. આ દુર્ઘટનાની જાણ તંત્રને થતા તંત્ર ખડેપગે હાજર રહ્યું હતું.

- text