માળીયાના ખાખરેચી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામે 15 સપ્ટેબરના રોજ ખાખરેચી ગામ વિકાસ સમિતિ અને પાંજરાપોળ ટ્રસ્ટ માળીયા દ્વારા ખાખરેચી ગામના જળેશ્વર મંદિર પાસે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દાતાઓ અને સંતોની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે ગામને લીલુંછમ હરિયાળું બનાવવા માટે ગામની વસ્તી જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હોવાનું ગામના અગ્રણી મનુભાઈ કૈલાએ જણાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text