મોરબી : સીરામીક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના પીપીળી રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં શ્રમિક યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપીળી રોડ પર આવેલ સીરામીક ફેંકેટરીમાં રહીને મજુરી કામ કરતા જ્યોતિભાઈ રમેશભાઈ વર્મા ઉ.વ.25 નામના મજુર યુવાને પોતાની મજૂરની ઓરડીમાં કોઈ કરણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કરણોસર આપઘાત કર્યો તે જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text