વાંકાનેરમા પાટીદાર સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


 

વાંકાનેર : વાંકાનેરમા પાટીદાર સમાજ દ્વારા પુલવા હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં આગેવાનોએ બે મિનિટ મૌન પાડી દુઃખ વ્યક્ત કર્યું હતું.

- text

કાશ્મીરના પુલવામાં આતંકીના આત્મઘાતી હુમલાથી સૈન્યના ૪૪ જવાનો શહીદ થયા છે. આ ઘટના સંદર્ભે વાંકાનેરમા પાટીદાર સમાજની વાડી ખાતે પાટીદાર યુવા ગ્રૂપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાટીદાર સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને બે મિનિટ મૌન પાડીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

- text