દેવ સોલ્ટ ગ્રુપના દિગ્વિરેન્દ્રસિંહજીનું અવસાન

- text


મોરબી : દેવ વેટલેન્ડ એન્ડ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રણેતા અને સ્થાપક એવા હીઝ હાઈનેશ શ્રી  દિગ્વિરેન્દ્રસિંહજીનું 92 વર્ષની જૈફ વયે તા 13 ના રોજ અવસાન થયું છે તેઓ પર્યાવરણ પ્રેમી હતા અને તેમણે ગુજરાત સરકારની પરવાનગી સાથે વર્ષ 1979માં હરણ માટેની બ્રિડીગ ફાર્મની શરૂઆત કરાવી હતી

- text

તેમના બહેન શ્રીસુધીરકુવરબાના લગ્ન મોરબીના મહારાજા સ્વ.મહેન્દ્રસિંહજી સાથે થયા હોવાથી તેમના કૌટુંબિક સંબધો મોરબી રાજવી પરિવાર સાથે જોડાયેલા રહયા હતા અને તેમની પ્રેરણા થી ડી. એસ. ઝાલા સાહેબ આ સંસ્થાની પ્રવૃત્તિને ખુબજ સારી રીતે સમાજના વિવિધ વર્ગો માટે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી તેમના પર્યાવરણ જાળવણી સહિતના ઉદેસ્યોને મૂર્તિમંત કરી રહયા છે.

- text