- text
માળીયા : માળિયામાં પિતા પુત્ર પર બે શખ્સોએ જૂની અદાવતના કારણે ધારીયાથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયામાં તળાવ પાસે રહેતા કાસમભાઈ નૂરમામદ અને તેમના પિતા હબીબભાઈ નૂરમામદ પર જૂની અદાવતના કારણે ગફુર ઈસા જામ અને કાસમભાઈએ ધારીયાથી હુમલો કરતા પિતા પુત્ર બન્નેને ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- text
બાદમાં કાસમભાઈને વધુ ઇજા હોવાથી તેઓને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text