- text
મૃતક તરુણને બોથડ પદાર્થના ઘા મારી પતાવી દઈ કૂવામાં ફેંક્યો : ડોગ સ્ક્વોડે પણ સગળ મેળવ્યા
વાંકાનેર : વાંકાનેરમાં આદિવાસી પરણીતાં સાથે આડા સબંધ મામલે તરુણને પત્ની સાથે કઢંગી હાલતમાં જોઇ ગયેલા પતિએ તરુણની ઘાતકી હત્યા નિપજાવી લાશ કૂવામાં ફેંકી દેવા મામલે હજુ સુધી હત્યારો પોલીસને હાથ લાગ્યો નથી ત્યારે આજે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમે સ્થળ વિઝીટ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના વતની કરમસિંહ નાનજીભાઈ કિકડીયાના પુત્ર બબલુ ઉ.૧૩ ની પંચાસિયા ગામની સીમમાં જ રહેતા ઠાકોર ભૂરાસિંગ દેહડિયાએ તેની પત્ની સવિતા સાથે આડા સબંધને કારણે હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દેતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
- text
આ મામલે આજે એફએસએલ અને ડોગ સ્ક્વોડ દ્વારા વાંકાનેરના પંચાસિયા ગામે બનાવ સ્થળે તાપસ કરવામાં આવી હતી અને મૃતક બબલુની બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવ્યાનું ખુલ્યું હતું.
વધુમાં હત્યારા ભૂરાસિંગના સગળ મેળવવા ડોગ સ્ક્વોડ દ્વારા પ્રયાસો કરાયા હતા પરંતુ હજુ સુધી હત્યારા સુધી પોલીસ પહોંચી શકી નથી.
ઉલ્લેખનીય છે કે બનાવની રાત્રે મૃતક બબલુએ સવિતા સાથે સહશયન કરતા ભૂરાસિંગ બન્નેને કઢંગી હાલતમા જોઈ જતા બબલુનું કાસળ કાઢી નાખી નાસી છૂટ્યો હતો. જો કે હજુ આરોપી પોલીસ ગિરફતથી દૂર છે હાલમાં વાંકાનેર તાલુકા પીએસઆઇ જી.આર.ગઢવી તપાસ ચલાવી રહ્યા છે.
- text