વાંકાનેરના રાજવડલામાં વીજળી પડતા ભેંસનું મોત

- text


મોરબી : વાંકાનેર તાલુકાના રાજવડલા ગામમાં ગઈકાલે વીજળી પડતા એક માલધારીની ભેંસનું મોત નીપજ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ તા.૧૬ ના રોજ રાત્રે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે વિજળી પડવાથી રમેશભાઈ દેવાભાઈ ગમારાની એક ભેંસ (નાની પાડી) નું મૃત્યુ થયુ હતું.

- text

આ અંગે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને પ્રાથમિક રિપોર્ટ મોકલી આપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

- text