વાંકાનેરના રાણેકપર છેડતી કેસનો સૂત્રધાર મૌલવી ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે સગીરાની છેડતી પ્રકરણમાં નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર મૌલવીની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે તા.૪ ના રોજ ગામના મૌલવી સૌકતઅલી સામે એજ ગામના ફરિયાદીની સગીર વયની દીકરીની છેડતી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. ફરિયાદ નોંધાતા આ મૌલવી રાતોરાત ભાગી ગયો હતો.

જ્યારે આ બનાવમાં ગામની ૬ વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આરોપીઓ ને પોકસો કોર્ટમાં હાજર કરતા તેમને મોરબી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા બાદમાં તેવો જામીન ઉપર છૂટ્યા હતા.

- text

જ્યારે આ કેસનો મુખ્ય આરોપી મૌલવી શૌક્તઅલી સૈયદ ફરાર હતો અને મૌલવીને પકડવા પોલીસ મથતી હતી તેવામાં આજે વહેલી સવારે મૌલાના સૌકતઅલી ઝડપાય ગયો હતો. જેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text