મોરબીના નવા બસસ્ટેન્ડમાં ઓરપેટ ગ્રુપ દ્વારા શનિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે

- text


ચેરમેન પ્રવીણભાઈ પટેલની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ જોડાશે : જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિ રહેશે

મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે ઓરપેટ ગ્રુપ દ્વારા ચેરમેન પ્રવીણભાઈ પટેલની આગેવાની હેઠળ આવતીકાલે શનિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં ઓરપેટ ગ્રૂપના કર્મચારી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને સુંદર અને સ્વચ્છ બનાવવાના હેતુથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે ઓરપેટ ગ્રુપ દ્વારા પણ ગ્રૂપના ચેરમેન પ્રવીણભાઈ પટેલની આગેવાની હેઠળ મોરબી શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

- text

આવતીકાલે તા.૩૦ ને શનિવારના રોજ સવારે ૭ કલાકે ઓરપેટ ગ્રૂપના ચેરમેન પ્રવીણભાઈ પટેલની આગેવાની હેઠળ નવા બસસ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં ઓરપેટ ગ્રૂપના કર્મચારી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને બસ સ્ટેન્ડની ગંદકી દૂર કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પણ જોડાશે.

આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા શહેરીજનોને અજંતા એલએલપી(ઓરપેટ ગ્રુપ)ના નેવીલ પ્રવિણભાઈ પટેલ અને હિમાંશુ પ્રવીણભાઈ પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

- text