મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ૫૦૦ કિલો પ્લાસ્ટિકનો નાશ કરાયો

- text


મોરબી : મોરબી પાલિકાના પ્લાસ્ટિક હટાવ ઝુંબેશને સમર્થન આપવાના ભાગ રૂપે ત્રાજ્પર ચાર રસ્તા પાસે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ૫૦૦ કિલો પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

- text

હાલ મોરબી નગરપાલિકા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટિકના ઉપયોગ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની જાગૃતતા પણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મયૂર નેચર ક્લબ અને પંચમુખી હનુમાન ટ્રસ્ટના સેવાભાવી સભ્યો મારુતિસાહેબ, અજયભાઈ અનડકટ, પ્રહલાદસિઁહ ઝાલા, રણૂભા જાડેજા, જયંતીભાઈ માંડલિયા સહિતના કાર્યકરોએ દ્વારા ત્રાજપર ચાર રસ્તા પાસે ૫૦૦ કિલો પ્લાસ્ટીક નો નાશ કરવામાં આવ્યો હતો.

- text