મોરબીમાં ૧જૂને વિસામાની મેલડી માતાજીનું ભૈરૂ

- text


મહાપ્રસાદ અને ડાક કાર્યક્રમનું આયોજન : પંચના ભુવા આપશે હાજરી

મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલા વિસામાની મેલડી માતાજીના મંદિરે આગામી ૧ જૂને માતાજીના ભૈરૂનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાક અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

મોરબીના જૂના ઘુંટુ રોડ પર ત્રાજપર ચાર રસ્તાની બાજુમાં આવેલા આસ્થાના કેન્દ્ર સમાં વિસામાની મેલડી માતાજીના મંદિરે આગામી તા.૧ જુનને શુક્રવારના રોજ ભૈરૂનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે ડાક કાર્યક્રમ યોજાશે. દલસુખભાઈ કુંઢીયા અને ભરતભાઇ કુંઢીયા ડાકની રમઝટ બોલાવશે. આ પ્રસંગે પંચના ભુવા અને સમસ્ત ત્રાજપર ગ્રામજનો ઉપસ્થિત રહેશે.

- text

આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા સવજીભાઈ વરાણીયા, દેવજીભાઈ વરાણીયા, વિજયભાઈ વરાણીયા, નટુભાઈ વરાણીયા, બાબુભાઇ સનુરા અને મુબારકભાઈ ચૌહાણ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

- text