- text
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે સુઝલામ-સુફલામ જળસંચય યોજના હેઠળ તળાવ ઊંડા ઉતારવાની કામગીરી લોકભાગીદારીથી શરુ કરવામા આવી છે. રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના લજાઈ ગામે લોકભાગીદારીથી ખેડુતો દ્વારા તળાવ ઊંડા કરવાનું કામ શરુ કરવામા આવ્યું છે. આ પ્રસંગે ટંકારા તાલુકાના એ ટી.ડી.ઓ. ગૌતમ ભીમાણી તેમજ ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા હાજર રહ્યા હતા તેમજ ગ્રામજનો અને ખેડુતોઅે આ યોજનાને આવકારી હતી.
- text
- text