- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ સુઝોરા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ભીમાભાઈ ચૌહાણ નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે કારખાનેદારે વાકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text
- text