મોરબીના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરે ૨૯મીથી વચનામૃત પારાયણ

- text


૨ જૂન સુધી ચાલનારી કથાનું પૂ.નિર્માન સ્વામી કરાવશે શ્રવણ

મોરબી : મોરબીના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરે આગામી તા.૨૯ મેથી ૨ જૂન સુધી વચનામૃત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ રાત્રે ૯ થી ૧૧: ૩૦ દરમિયાન પૂ.નિર્માન સ્વામી કથાવાર્તાનું શ્રવણ કરાવશે.

મોરબીના દુર્લભ પાર્ટી પ્લોટ પાસે આવેલા એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તા.૨૯ને મંગળવારથી ૨ જૂનને શનિવાર સુધી વચનામૃત પારાયણ યોજાશે. પૂ.બાપજીના આશીર્વાદ તથા પૂ.સ્વામીની આજ્ઞાથી પૂ. નિર્માન સ્વામી આ કથાનું દરરોજ રાત્રે ૯ થી ૧૧:૩૦ દરમિયાન શ્રવણ કરાવશે.

- text

વચનામૃત પરાયણના યજમાન પદે વિનોદભાઈ, પ્રવીણભાઈ, શૈલેષભાઇ, ચતુરભાઈ વિલપરા, પ્રવીણભાઈ રંગપરિયા, ડી.કે.પટેલ, તેજશભાઈ કાથરાણી, ચુનીભાઈ રાજપરા, કરશનભાઇ ભોરણીયા, લક્ષમણભાઈ બાવરવા, ધરમશીભાઈ કગથરા, હીરાલાલ કાંજિયા, નંદલાલભાઈ ભલોડિયા, ઘનશ્યામભાઈ કૈલા, સી.સી.પટેલ, રાધે પરેચા, ડો.હસુભાઈ સબાપરા, વી.વી.પટેલ, જીતુભાઇ કોટડીયા, મહાદેવભાઈ જાકાસણીયા, ચમનભાઈ કેરાલિયા, નાથાભાઇ ગોપાણી, રાજેશભાઇ હોથી, જીતેન્દ્રભાઈ પટેલ, ડો.ધનજીભાઈ ગામી, એલ.ડી.હડિયલ, હરદાસભાઈ જાકાસણીયા અને રાધવજીભાઈ ભૂત રહ્યા છે.

- text