મોરબીમાં મે મહિનામાં વિશ્વનું સૌથી મોટું મહાનાટક જાણતા રાજા : શનિવારથી ટીકીટ વિતરણ કાર્યાલયનો પ્રારંભ

- text


મોરબી : વિશ્વનું સૌથી મોટું મહાનાટક જાણતા રાજા આગામી તા. ૨ થી ૮ મેં દરમિયાન મોરબીમાં યોજાનાર છે જેના ટીકીટ વિતરણ કાર્યાલયનો આગામી ૩ જી માર્ચને શનિવારે મોરબીમાં પ્રારંભ કરવામાં આવશે.

અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ધૂમ મચાવનાર વિશ્વના સૌથી મોટા જીવંત નાટક જાણતા રાજાના કુલ ૭ શો મોરબીના આંગણે યોજાશે, આગામી તા. ૨ થી ૮ મેં દરમિયાન મોરબીના રાયગઢ કિલ્લા ન્યુ એરા સ્કૂલ રવાપર રોડ ખાતે યોજાનાર આ મહાનાટકના ટીકીટ વિતરણ કાર્યાલયનો તા. ૩ માર્ચને શનિવારના રોજ મોરબીમાં શુભારંભ કરવામાં આવશે.

- text

ભારત માતાના મંદિર નિર્માણના હેતુ થી યોજાનાર આ મહાનાટક જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા તતા. ૩ માર્ચના રોજ રાત્રે ૮.૩૦ કલાકે બાપા સીતારામ ચોક ખાતે ટીકીટ વિતરણ કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો છે જેમાં મોરબીના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

- text