ઓમ શક્તિ ગ્રુપ દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતા જોડાયા

- text


શનાળા ખાતે થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે યોજાયેલા રક્તદાન કૅમ્પમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું

મોરબી : થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે શનાળા ખાતે ઓમ શક્તિ ગ્રુપ દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતા જોડાયા હતા. થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે યોજાયેલા આ રક્તદાન કૅમ્પમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.

- text

ઓમ શક્તિ ગ્રુપ શનાળા દ્વારા સ્વ.સુખુભા શિવુભા ઝાલાના સ્મરણાર્થે તા. ૨૨ ને ગુરુવારે થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. તેમજ આ રકતદાન કેમ્પમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી પ્રેણાદાઇ સંદેશો પાઠવ્યો હતો. ઓમ શક્તિ ગ્રુપ દ્વારા સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ગામના સ્થાનિક યુવાનો સહીત ક્ષત્રિય સમાજ સહીત વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પણ રકતદાન કર્યું હતું.

- text