મોરબી જલારામ સેવા મંડળ દ્વારા બિન વારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા

- text


મોરબી : વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ સેવા મંડળ દ્વારા મોરબી તેમજ આસપાસ ના વિસ્તારો ના બિનવારસી મૃતદેહો ના શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરવામા આવે છે ત્યારે તાજેતર મા બે દીવસ પહેલા મોરબી ખાતે બિનવારસી મૃતદેહ મળેલ હતો. જેને મોરબી જલારામ સેવા મંડળ દ્વારા આજ રોજ શહેરના વિદ્યુત સ્મશાન ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ તેના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.

- text

આ ભગીરથ કાર્યમા જલારામ સેવા મંડળ ના પ્રમુખ નિર્મિત કક્કડ, વિપુલ પંડીત, ચિરાગ રાચ્છ, હરીલાલ દસાડીયા, હીતેશ જાની, ફીરોઝ ભાઈ તથા દીનેશ સોલંકી સહીત ના આગેવાનો જોડાયા હતા.

- text