મોરબીમાં મંગળવારે ડી.સી.મહેતા ડીસ્પેન્સરીમાં રાહતદરે નિદાન કેમ્પ

- text


થાઇરોઇડ, પ્રોસ્ટેટ, હૃદય કિડની સહિતના દર્દોનું નિદાન લેબોરેટરી કરી અપાશે

મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે આવેલ ડી.સી.મહેતા સાર્વજનિક દવાખાના ખાતે આગામી તા.૧૪ને મંગળવારે રાહતદરે લેબોરેટરી અને જટિલ રોગોનું નિદાન કરવામાં આવશે.
થાઇરોકેર લેબોરેટરી મુંબઈના સહયોગથી આગામી તા.૧૪ને મંગળવારના રોજ ડી.સી.મહેતા સાર્વજનિક દવાખાના ખાતે લોહી-પેશાબ રિપોર્ટ ,હૃદયરોગ, કિડની, લીવર, થાઇરોઇડ, પ્રોસ્ટેટ કેન્સર લોહીની ફક્ત રૂપિયા ૫૦ ફી વસૂલી ટેસ્ટ મારી આપવામાં આવશે. આ ઉપરાંત અહીં સોમવારથી શનિવાર સુધી ફક્ત રૂપિયા પાંચમા દવા આપવામાં આવે છે. વધુમાં તા.૧૧ અને ૧૨ ના રોજ મફત કેન્સર નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે તો આ સેવાકીય રાહત કેમ્પનો લાભ લેવા મેડિકલ ઓફિસર હસ્તીબેન મહેતાની યાદીમાં જણાવાયુ છે.

- text

- text