ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પંચામૃત વાર્ષિક મહોત્સવ ઉજવાયો

- text


ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને સહાય-સાધન સામગ્રી,વસ્ત્ર પ્રસાદનું વિતરણ કરી શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું

મોરબી : ઉમિયા માનવસેવા ટ્રસ્ટ મોરબી દ્વારા પંચામૃત વર્ષીકોત્સવ ઉજવાયો હતો જેમા મોરબી જિલ્લામાં વસવાટ કરતા નિરાધાર વિધવા બહેન પરિવારોને વિવિધ સહાય આપવાની સાથે સમાજના ઉગતા તારલાઓને સન્માનિત કરી સમાજ શ્રેષ્ઠીઓની કદર કરી બહુમાન આપવામાં આવ્યું હતું

- text

પંચામૃત યોજના અન્વયે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મોરબી જિલ્લામાં વસતા ૨૦૪ ગરીબ નિરાધાર વિધવા પરિવારો છે જેને આ ટ્રસ્ટ તરફથી દર મહિને ૧૦૦૦ રૂપિયા અને સીદસર મંદિર તરફથી મહિને ૫૦૦ રૂપિયા આર્થીક સહાય આપવામા આવે છે,આજ રોજ આ ૨૦૪ પરિવારોને ઘરમાં જેટલા વ્યક્તિઓ હોય એમના માટે વસ્ત્રપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું ૫૦૦ વ્યક્તિઓને સુંદર સારી ક્વોલિટીના વસ્ત્રોની કીટ પુરી પાડવામાં આવી અને ૧૦ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઉમા સમાધાન પંચ,ઉમિયા મેરેજ બ્યુરો.સમૂહ લગ્ન સમિતિ,ઉમિયા અમૃતમ યોજનામાં કામ કરતા પાયાના કર્મયોગી કાર્યકર્તાનું તેમજ કલાસ-૧ અને ૨ ની પરીક્ષા પાસ કરી ડૅ.કલેકટર,મામલતદાર તરીકે ફરજ બજાવતા ડો.મેહુલ બરાસરા.જયસુખ લિખિયા,મયુર ભાલોડિયા,જય બાવરવા,તેમજ શ્રેષ્ઠ સિ.આર.સિ.અને શ્રષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શૈલેષ ક્લારિયા અને જીતેન્દ્ર પાચોટીયા વગેરેનું સન્માન કરવામાં આવ્યું,
આ તકે ઉધોગ પતિ અને પાટીદાર ભામાંસા વેલજીભાઈ ઉઘરેજ (બોસ)નું એકલાખ અગિયાર હજાર એકસો અગિયાર જેટલા વૃક્ષઓ ઉછેરવા બદલ અને પાંજરાપોળના પ્રમુખ તરીકે સેવા આપવા બદલ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મોહનભાઇ કુંડરિયા સાંસદ ,બાવનજીભાઈ મેટલિયા,કે.જી.કુંડરિયા , નિલેશભાઈ જેતપરિયા. દિલીપભાઈ પટેલ ઊંઝા , ડો.સતીશ પટેલ,જેરામભાઈ વાંસજાળીયા,સંત શ્રી ભાણદેવ વગેરે હાજર રહી ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા પોપટભાઈ કગથરા,ગોપાલભાઈ ચારોલા,પોપટભાઈ ગોઠી વગેરે તેમજ ટ્ર્સસ્ટના કાર્યકરો એ ખુબજ જહેમત ઉઠાવી હતી.

 

 

- text