પીએસઆઇની બદલી : મોરબીમાંથી ચારની બદલી સામે ચાર નવા મુકાયા

- text


મોરબીથી મજગુલ, ડાભી, માવલ અને મકવાણાની બદલી જયારે સામે ચૌધરી, ઝાલા, ગોહિલ અને ધાંધલ નવા મુકાયા

મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિધાનસભા ચૂંટણી પૂર્વે પીએસઆઇની બદલીનો મોટો ઘાણવો કાઢી આજે ૫૩૨ પીએસઆઇની બદલી કરવા હુકમ કર્યો છે. જે અંતર્ગત મોરબીના પીએસઆઇ મજગુલ ઓસમાન બિલાલ, ડાભી નિખિલકુમાર બાબુભાઇ અને માવલ પ્રદીપકુમાર મધુભાઈની વડોદરા શહેર ખાતે અને મકવાણા પ્રવિણકુમાર દેવરાજભાઈની નવસારી ખાતે બદલી કરવામાં આવી છે. જયારે જામનગરથી ચૌધરી મોહનભાઇ દેવશીભાઇ અને ઝાલા ભુપેન્દ્રસિંહ વિશ્વરથસિંહની મોરબી ખાતે અને રાજકોટ શહેરમાંથી ધાધલ મુળુભા જીવાભાઈ અને જૂનાગઢથી ગોહિલ શક્તિસિંહ અરવિંદસિંહની મોરબી બદલી કરવામાં આવી છે.

- text

- text