હળવદમાં ૨૩ નવા તલાટીઓ મુકાયા

- text


હળવદ:હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તલાટીઓની ખાલી જગ્યા ભરવા માંગણી કરવામાં આવતા સરકાર દ્વારા ૩૨ ખાલી જગ્યા સામે ૨૩ તલાટીઓની નિમણુંક કરવામાં આવી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તલાટી કમ મંત્રીઓની ૩૨ જગ્યા ખાલી પડી હતી જેને પગલે એક-એક તલાટીઓને એકથી વધુ ગામની જવાબદારી આવતી હતી.
આ પરિસ્થિતિમાં ગ્રામ્ય કક્ષાએ લોકોની હાલાકી વધતા સરકાર દ્વારા તાજેતરમાં હળવદ તાલુકામાં નવા ૨૩ તલાટીઓની નિમણુંક કરવામાં આવી છે.

- text