- text
મોરબી:આગામી તારીખ ૧૫ ને રવિવારના રોજ મોરબી ટાઉનહોલ ખાતે રાજપૂત સમાજના વિધાર્થી ભાઈ-બહેનો અને વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો છે.
- text
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી દ્વારા આગામી તા.૧૫ને રવિવારના રોજ મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે ધોરણ-૯ થી ઉપરના વિદ્યાર્થી ભાઈ-બહેનો અને જાગૃત વાલીઓ માટે કારકિર્દી અંગે માર્ગદર્શક સેમિનારની બપોરે ૨ થી ૫ દરમિયાન આયોજન કરવામાં આવ્યુ છે જેમાં ગાંધીનગર કચ્છ-કાઠિયાવાડ સેવા સમાજના નિષ્ણાત માર્ગદર્શકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આથી આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું રાજપૂત સમાજના લોકોએ લાભ લેવા મોરબી રાજપૂત સંઘના પ્રમુખ નિરુભા ઝાલાની યાદીમાં જણાવાયું છે.
- text