- text
હળવદ: રાષ્ટ્રપિતા ગાંધી બાપુ ની જન્મ જ્યંતી ની ઉજવણી ના ભાગરૂપે હળવદના ફ્રેન્ડસ યુવા ગ્રુપ દ્વારા ભવાની મસાણીયા હનુમાનજી મંદિર ની આજુબાજુ માં રહેતા ગરીબ પરીવાર ના બાળકો ને પાઉંભાજી નું ભૉજન કરાવવામાં આવ્યું હતું.
ગાંધી જયંતિના અવસરે ફ્રેડસ સેવા ગ્રુપ હળવદ દ્વારા અનોખી ઉજવણી કરવા બાળકો ને ભરપેટ પાઉંભાજી જમાડવામાં આવી હતી,બાળકો તેમની મનગમતી વસ્તુ એવી પાઉંભાજી જોઇને ખુબ ખુશ થઈ ગયા હતા.
- text
આ પ્રસંગે બાળકો ને ગાંધી બાપુના જીવન વિષે ની માહિતી આપવામાં આવી હતી આ પ્રોજેક્ટ ના દાતા- ભુરાભાઈ (ભુરેલાલ પાઉંભાજી) વાળા રહ્યા હતા.
આ પ્રોજેકટ ને સફળ બનાવવા માટે ગૃપ ના પ્રમુખ વિશાલ જયસ્વાલ, ઉપપ્રમુખ અમન ભલગામા અને સાથી સભ્યો અનુક્રમે રોહિતભાઈ રબારી, વિપુલભાઈ કરોત્રા, મયુરભાઈ પરમાર, બિપીનભાઈ કાપડીયા, સન્ની ચૌહાણ, ગૌતમ શેઠ સાથે સુનીલભાાઈ પરીખ, ચંદુભાઈ પટેલ(ફુવા)વગેરે એ હાજરી આપી .
- text