વાંકાનેર-કુવાડવા બેઠક માટે ભાજપમાંથી ડઝનબંધ દાવેદારો મેદાનમાં

- text


વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ,જીતુ સોમાણી,ઘોધુભા જાડેજા સહિતના ડઝનબંધ દાવેદારોએ ટેકેદારો સાથે દાવેદારી નોંધાવી

મોરબી:આજે મોરબી જિલ્લાની વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરતા વાંકાનેર-કુવાડવા બેઠક માટે ડઝનબંધ દાવેદારોએ પોતાના ટેકેદારો સાથે હાજર રહી નિરિક્ષકો સમક્ષ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ-જામનગર હાઇવે પર વીરપર નજીક બા ની વાડી ખાતે મોરબી જિલ્લાની વિધાનસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં સૌ પ્રથમ વાંકાનેર-કુવાડવા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વાંકાનેર બેઠક માટે આજે રાજવી પરિવારના કેસરીદેવસિંહ, લોહાણા અગ્રણી જીતુભાઇ સોમાણી,રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ઘોધુભા જાડેજા,કોળી સમાજના પરસોત્તમભાઈ ભુવા,વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ ગોરધનભાઇ સરવૈયા,જીવનભાઈ સાકરિયા અને આશ્ચર્ય જનક રીતે લોહાણા સમાજના જીતુભાઇ સામે લોહાણા સમાજના જ શૈલેષભાઇ ઠક્કરે પણ વિશાળ ટેકેદાર વર્ગ સાથે દાવેદારી નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે વાંકાનેર-કુવાડવા બેઠક ઉપર છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસનું પ્રભુત્વ છે આમ છતાં આજે લેવામાં આવેલી સેન્સ દરમિયાન ડઝનબંધ દાવેદારોએ ચૂંટણી જીતી બતાવવાના દાવા કરી ટેકેદારોના કાફલા સાથે પોતાને ટીકીટ મળે તે માટે નિરીક્ષકો સમક્ષ તાકાત બતાવી હતી.

- text