મોરબી એસપીએ તાલુકા પોલીસ કર્મીઓની સમસ્યા જાણી જરૂરી માહિતી મેળવી

- text


મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના નેજા હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકે પોલીસ દરબાર યોજાયો

મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના નેજા હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકે પોલીસ દરબારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા એસપી જયપાલસિંહ રાઠોઙે પોલીસ અધિકારીઓથી લઈને એલઆરઙી જવાનોની કોઈ રજુઆતો, પારિવારીક સમસ્યાઓ કે અન્ય કૉઈ અંગત મુસીબતો સાંભળી તેનું સ્થળ પર જ નિરાકરણ લાવ્યું હતું. આ ઉપરાંત જીલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડે તાલુકા પોલીસ સ્ટેશનની સ્ટેશન ઙાયરી, ઙીટેક્ટ-અનઙીટેક્ટ ગુના સબંધી માહીતી , નાસતા ફરતા અને ગંભીર ગુના કરતા આરોપીઓ તેમજ પોલીસ સાથે અરજદારોની થઈ રહેલી ગેરવર્તણુક વિશે બારીકાઈ થી માહીતી મેળવી હતી અને જલ્દી થી તેનો ઉકેલ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આ પોલીસ દરબારમા તાલુકા પીએસઆઈ એન.બી. ઙાભી સહીત તમામ તાલુકા પોલીસના પીએસઆઈ, પોલીસ જવાનોએ મોટી સંખ્યામા હાજર રહય હતા અને જરૂરી પ્રશ્નો અને માહિતીની ચર્ચા કરી હતી.એકંદરે જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોઙની ઉપસ્થિતીમા મોરબી તાલુકા પોલીસ મથકે યોજાયેલ પોલીસ દરબાર સફળ રહ્યો હતો.

- text