ટંકારા : અરણીટીંબા-જીવાપર અપ્રોચ રોડનું ખાતમુહુર્ત

- text


મોરબી જિલ્લામાં આવેલાં અરણીટીંબા-જીવાપર અપ્રોચ રોડ કામનું ખાત મુહુર્ત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર, માન.સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય બાવાનજીભાઈ મેતલીયાનાં વરદ હસ્તે જીવાપર ગામ ટંકારા તાલુકા ખાતે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વાંકાનેર તથા ટંકારા તાલુકાને જોડતો ૩.૮ કિ.મીનો અરણીટીંબા – જીવાપર અપ્રોચ બનવાનું કામ શરુ થઈ જતા આ રસ્તો બની ગયા બાદ જીવાપર ગામનાં લોકોને વાંકાનેર અને ચોટીલા આસપાસનાં વિસ્તારમાં જવા માટેનું અંતર ઘટી જશે. તેમજ ટંકારા તાલુકાનાં હરબટીયાળી, ભુતકોટડા, હરીપર વગેરે ગામોને તથા વાંકાનેર તાલુકાના તીથવા, પાંચ દ્વારકા વગેરે ગામોને લાભ થશે.

- text