ટંકારા : યુવા આગેવાને યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ જન્મદિવસ ઉજવ્યો

- text


ઝૂંપડપટ્ટીના બાળકોને એકઠા કરીને તમામ બાળકોને નવડાવી નવા કપડાં પહેરાવ્યા

ટંકારા : ટંકારાના યુવા આગેવાન અરવિંદ બારૈયા (ગણેશ મંડપ) એ પોતાના 38માં જન્મદિવસની યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ ઉજવ્યો હતો. જેમાં અરવિંદભાઈ બારૈયાએ યંગ ઈન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર પોતાના જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જન્મદિવસની પ્રેણાદાઇ ઉજવણી રૂપે યોજાયેલા આ અનોખા કાર્યક્રમમાં ટંકારા આસપાસની ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના 300 બાળકોને જીવનની દૈનિક ક્રિયામાં (જીવનશૈલીમાં) સુધારો થાય અને સ્વાથ્ય પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુસર બાળકોને નવડાવી (સ્નાન) કરાવી નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવા ટંકારાના સિદ્ધિવિનાયક ગ્રુપના સભ્યોએ ભારે જેહમત ઉઠાવી હતી.

- text