ભાજપ વિરૂધ્ધ મતદાનનના સપથ લેતા હળવદના ક્ષત્રિયો : દિઘડીયામા ધર્મ સભા યોજાઈ

- text


ધામાથી નીકળેલ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ હળવદ પહોંચ્યો : વિવિધ સમાજ દ્વારા સન્માન કરાયું

હળવદ : રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણીને લઈ ક્ષત્રીઓ દ્વારા વિરોધ કરી લડત કરવામાં આવી રહી છે.અને આ વિરોધ હવે માત્ર રાજકોટ પૂરતો નહીં પરંતુ પુરા ગુજરાતમાં પ્રસરી ગયો છે.ત્યારે મંગળવારે પાટડીના ધામાથી નીકળેલ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ આજે હળવદ પહોંચ્યો હતો‌.જેનુ વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો જોડાયા હતા.

- text

પાટડીના ધામાથી નીકળેલ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ આજે હળવદ ખાતે પહોંચતા આ ધર્મરથ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હળવદ તાલુકાના દીઘડીયા ગામે આવેલ શક્તિધામ ખાતે પહોંચ્યો હતો જ્યાં એક ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધર્મ સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સોગંદ લેવામાં આવ્યા હતા.

- text