મોરબી દરબારગઢ સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : શ્રી નરનારાયણદેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજને 150 વર્ષ પૂર્ણ થતા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન આગામી 17 મે થી 23 મે સુધી કરવામાં આવ્યું છે.

આ મહોત્સવ અંતર્ગત સપ્તદિનાત્મક શ્રીમદ્ સત્સંગિજીવન કથાપારાયણનું આયોજન કરવામાં આવશે, જેમાં મુળીધામના વિદ્વત્વર્ય ધર્મજીવનદાસજી સ્વામી વ્યાસાસને બિરાજી સ્વરસંગીત સાથે કથાનો દિવ્ય લાભ આપશે. તેમજ આ કથાપારાયણ દરમિયાન શ્રી હરિ પ્રાગટ્યોત્સવ, વિવિધ અભિષેક ઉત્સવ, ત્રિદિનાત્મક શ્રીહરિ યાગ, અખંડ ધૂન, ગાદિપટ્ટાભિષેક, રાસોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, યુવામંચ, મહિલામંચ, કિર્તનસંધ્યા, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા આયોજનમાં ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે.

- text

કથા પારાયણમાં પધારેલા સર્વે હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ દિવ્ય મહોત્સવનું સ્થળ સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર રોડ ઉપર રાખવામાં આવ્યું છે.

- text