પતિએ સાળાને ઉછીના આપેલા પૈસા પરત માંગતા પત્નીનો આપઘાત

- text


વાંકાનેરના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં બનેલ બનાવ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રહેતા મધ્યપ્રદેશના વતની યુવાને તેના સાળાને ઉછીના પૈસા આપ્યા હોય જે પરત માંગતા યુવાનની પત્નીને પતિ સાથે બોલાચાલી થયા બાદ લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ બ્રાવેટ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના દિનેશભાઇ વર્માએ તેના સાળાને હાથ ઉછીના પૈસા આપેલ હોય જે પરત માંગતા દિનેશભાઇને અને તેના પત્ની રાધાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ રાધાબેન દિનેશભાઇ વર્માને લાગી આવતા ખાટલની પાટી વડે પંખાના હુકમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text