તા.31 માર્ચે મોરબી BAPS મંદિરે ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું વક્તવ્ય યોજાશે

- text


મોરબી : 31 માર્ચ ને રવિવારના રોજ મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન BAPS સ્વામિનારાયણ મંદિરે ઘર બને એક મંદિર વિષય પર વક્તા અને મોટીવેશનલ સ્પીકર સંત ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું વક્તવ્ય યોજાશે. જીવનને પ્રગતિના પંથે દોરનાર આ પ્રેરક પ્રવચનનો લાભ લેવા માટે સૌને હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.

- text