તા. 31મીએ વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક હેલ્થકેમ્પ યોજાશે

- text


વાંકાનેર : ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ- વાંકાનેર રામચોક દ્વારા આગામી તારીખ 31 માર્ચ ને રવિવારના રોજ આરોગ્યલક્ષી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

સ્વ. જયશ્રીબેન રમણીકલાલ ઉપાધ્યાય તથા સ્વ. લાભશંકર રાઘવજી ઉપાધ્યાય (મહિકાવાળા)ના સૌજન્યથી આગામી તારીખ 31 માર્ચ ને રવિવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન વાંકાનેરના રામચોક ખાતે આવેલા ઔદિચ્ય બ્રાહ્મણ ભોજનશાળા ખાતે આરોગ્યલક્ષી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં આયુર્વેદિક દંત ચિકિત્સા, સાંધાના દુઃખાવા, ફિઝિયોથેરાપીના દર્દીઓને નિઃશુલ્ક તપાસી આપવામાં આવશે. આ કેમ્પમાં નિદાન, સારવાર, તેમજ સલાહ સૂચન અને જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે પ્રશાંતભાઈ ઉપાધ્યાય (મો.નં. 9428212344) અથવા રાજુભાઈ રાવલ (મો.નં. 9428278687) અથવા મનોજભાઈ રાવલ (મો.નં. 9265571018)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text