વાંકાનેર ભરવાડ સમાજના અગ્રણી હીરાભાઈ બાંભવાનું અવસાન

- text


અનેક દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા હતાં : ભરવાડ સમાજમાં શિક્ષણ વધે તે માટે સતત કાર્યશીલ હતા

હળવદ : વાંકાનેર ભરવાડ સમાજના અગ્રણી અને તાલુકા ભાજપના મહામંત્રી હીરાભાઈ બાંભવાનું ગતરાત્રિના અવસાન થયું છે. તેઓની સ્મશાન યાત્રા વાંકાનેરના સિંધાવદર ગામેથી નીકળી હતી જેમાં અનેક રાજકીય આગેવાનો તેમજ સમાજના આગેવાનો જોડાયા હતા. વાંકાનેર ભરવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તેમજ ભરવાડ સમાજની છાત્રાલયના સંચાલક અને તાલુકા ભાજપના મહામંત્રી હીરાભાઈ નોંધાભાઇ બાંભવાનું ગતરાત્રિના અવસાન થતા વાંકાનેર ભરવાડ સમાજને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે

- text