મોરબી અપડેટના “પોડકાસ્ટ”માં જાણિતા લેખક અને વક્તા ડો.નિમિત્ત ઓઝા સાથે ખાસ વાતચીત

- text


“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” એપિસોડ- 16 માં ડો.નિમિત્ત ઓઝા સાથે રસપ્રદ અને માહિતીસભર વિસ્તૃત ચર્ચા

મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”

- text

“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના બધા એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે 16મો એપિસોડ આવતી કાલે તારીખ 19 ફેબ્રુઆરી ને બપોરે 1.00 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના 16માં એપિસોડમાં ડો.નિમિત્ત ઓઝા સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં એમના જીવન વિશે, સ્ટુડન્ટ લાઇફ, માતા-પિતા અને બાળકના રિલેશન, નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો એવા બધા વિષય પર વિસ્તૃત ચર્ચા થશે તો મોરબીઅપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.

- text