તા.22મીએ વાંકાનેર અને મોરબી યાર્ડમા રજા જાહેર

- text


હળવદ યાર્ડમાં રજા જાહેર કરવા અંગે સાંજે નિર્ણય કરાશે 

મોરબી : આગામી તા. 22 જાન્યુઆરી, સોમવારના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય મોરબી તેમજ વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા સોમવારે યાર્ડમાં રજા જાહેર કરી તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જો કે,હળવદ યાર્ડના વેપારીઓ અને સત્તાધીશોની આજે સાંજે બેઠક મળ્યા બાદ રજા જાહેર કરવા અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

- text

- text