તા.22મીએ માળિયાના માણબા ગામે હવન અને મહાપ્રસાદનું આયોજન

- text


મોરબી : આગામી તા.22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે આ ઉજવણી નિમિત્તે માળિયા તાલુકાના વિજયનગર (માણબા) ગામે હવન અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

માળીયા તાલુકાના વિજયનગર (માણબા) ગામે આગામી તા.22મીએ બપોરે હવન યોજાશે અને સાંજે ગ્રામજનો માટે ધુમાડા બંધ ગામ જમણ એટલે કે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં કલાકાર રાહુલ રાવળદેવ અને પરશુભાઈ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે

- text

- text