તા. 22મીએ સમગ્ર રાજ્યમાં માસ – મદિરાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા ધારાસભ્ય કાંતિલાલની માંગ

- text


રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી

મોરબી : આગામી તા.22ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થનાર હોય મોરબી – માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી તા.22મીના રોજ સમગ્ર રાજ્યમાં માસ – મદિરાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા માંગ કરી છે.

- text

મોરબી – માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, 500 વર્ષના ઇન્તજાર બાદ આગામી તા.22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના દિવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય એ સુવર્ણ અવસરે સમગ્ર રાજ્યમાં માસ અને મદિરાનું વેચાણ બંધ રાખવા માંગ ઉઠાવી તાત્કાલિક પ્રતિબંધાત્મક આદેશ જારી કરવા રજુઆત કરી છે.

- text