મોરબીના માણેકવાડામાં તેજસ્વી વિદ્યાર્થીઓના હસ્તે શાળાની કમ્પ્યુટર લેબનું ઉદધાટન કરાયું 

- text


મોરબી : મોરબીની માણેકવાડા શાળામાં ICT કમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કમ્પ્યુટર લેબનું ઉદધાટન શાળાના ગત સત્રમાં સૌથી વધુ ગુણાંક અને સૌથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના હસ્તે કરાવવામાં આવ્યું હતું.

વાંચેલુ ભુલાય જાય છે, જોયેલું થોડું થોડું સમજાય જાય છે પરંતુ જાતે કરેલું, જાતે શીખેલું યાદ રહી જાય છે તેવા હેતુથી દ્રશ્ય-શ્રાવ્ય સાધન તરીકે વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરે અને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે તેવા આશયથી સરકાર દ્વારા મોરબી જીલ્લાની 368 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ICT કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે. આ કમ્પ્યુટર લેબમાં 15 કમ્પ્યુટર વિથ ઈયર ફોન, વેબ કેમેરા તેમજ કોટા સ્ટોનના પ્લેટફોર્મ અને 30 ખુરશીઓ ફાળવવામાં આવી છે. ત્યારે માણેકવાડાની શાળામાં આ ICT કમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કમ્પ્યુટર લેબનું ઉદધાટન કોઈ મહેમાનો કે આચાર્યના હસ્તે નહીં પરંતુ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓના હસ્તે જ કરવામાં આવ્યું હતું. જેમાં ગત સત્રમાં સૌથી વધુ ગુણાંક અને સૌથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વિપુલભાઈ અઘારા તેમજ તમામ સ્ટાફના આ સ્તુતિય પગલાંથી વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખુશ થયાં હતા.

- text

- text