મોરબી : સુખદેવસિંહની હત્યાના વિરોધમાં આમ આદમી પાર્ટીનું કલેકટરને આવેદન

- text


મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વ. સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના વિરોધમા મોરબી જીલ્લા કલેકટરને આવેદન આપવામા આવ્યુ હતું

જેમાં જણાવાયું હતું કે આપણા દેશમા કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે. સામાજીક અને રાજકિય આગેવાનો કે પત્રકારો કે પછી સ્થાપિત હિતોની સામે લડતા લોકો પર હુમલાઓ વધી રહ્યા છે. રાજસ્થાનમા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વ સુખદેવસિંહ ગોગામેડીની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરવામા આવી તે ખુબ ગંભીર બાબત છે.

સ્વ. સુખદેવજી ગોગમેડીએ જ્યારે પોલીસ પ્રોટેક્શન માગેલ હતું છતાં અધિકારીઓ દ્વારા તેઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. જેના કારણે ભારત દેશના તમામ સમાજ માટે કામ કરવા વાળા કરણી સેનાના નેતાની નિર્દયી માણસો દ્વારા જે રીતે હત્યા કરી છે તેમની ઉપર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જલ્દીમાં જલ્દી તેમને સખત સજા કરવામાં આવે તેમજ જેમને પણ તેઓને પોલીસ પ્રોટેક્શન નથી આપ્યું તેવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીની માંગણી છે. આવીજ ઘટના જો સમાજમા બનતી રહશે તો આવનારા સમયમા લોક હિતની લડાય માટે કોઈ આગેવાની લેશે નહી. જેની નુકસાની સમાજ અને આમ જનતા ને જ જશે.

- text

- text