પંચવટી (ખીરઈ)માં પંચનાથ મહાદેવનો ત્રિ- દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 

- text


માળિયા : માળિયા તાલુકાનું પંચવટી (ખીરઈ) ગામ ખાતે આવેલા પંચનાથ મહાદેવ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં શાસ્ત્રીજી કૌશિક ભુદેવ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ વિધિઓ કરાવી રહ્યા છે.

આ ધાર્મિક કાર્યક્રમમાં ત્રણ દિવસ ત્રણેય ટાઈમ ભોજન ( પ્રસાદ) ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત તા. 10 ને રવિવારના સાંજના 5 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમજ રાત્રીના 9 કલાકે ગાયત્રી સાઉન્ડના સથવારે સંતવાણી આરાધક પ્રકાશ ગોહિલનો ભજનનો કાર્યક્રમ યોજાશે. તેમજ તા. 11 ના બપોરના 12:39 ના નીજ મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ તકે નકલંક મંદિર -બગથળાના દામજીબાપુ, રામધન આશ્રમના ભાવેશ્વરીબેન ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સમસ્ત પંચવટી(ખીરઈ) ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text