મોરબીના 6109 વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે

- text


મોરબીના 29 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે

મોરબી : સંસ્કૃત ગૌરવ પરીક્ષા આગામી તારીખ 9 મી ડિસેમ્બરના રોજ યોજાશે. ગુજરાતના 736 કેન્દ્ર પરથી 78647 પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં મોરબીના કુલ 6109 વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે, કુલ 29 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. ગુજરાતના ઘર ઘર સુધી સંસ્કૃત પહોંચે એ હેતુથી સંસ્કૃતભારતી છેલ્લા 19 વર્ષથી આ પરીક્ષાનું આયોજન કરે છે.

- text

રાજ્યમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ વખતે 736 કેન્દ્રો પરથી 78647 છાત્રો પરીક્ષા આપશે.આ વખતે આ પરીક્ષામાં ઐતિહાસિક સંખ્યા થઈ છે.સંપૂર્ણ ભારતમાં જે જે સંસ્કૃતની પરીક્ષાઓ લેવાય છે તેમાં સૌથી વધુ સંખ્યા આ પરીક્ષાના નોંધાયેલી છે. તારીખ 9 ડિસેમ્બરને શનિવારે 11.30થી 12.30 પ્રવેશિકા અને પ્રમોદીકા પરીક્ષા અને બપોરે 1 થી 2 પ્રદીપિકા અને પ્રવાહિકા પરીક્ષા રહેશે. આ પરીક્ષા પૂર્વે કેન્દ્ર સંયોજકો માટે ઓનલાઈન ચાર દિવસ ભણાવવાનું આયોજન પણ કરેલ હતું.છાત્રોના અભ્યાસ માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષા એપ્લીકેશન પરથી ખુબ સારી તૈયારી કરી શકે તેવું આયોજન કરેલ છે. સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને દરેક કેન્દ્રને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે. સંસ્કૃત ગૌરવ પરીક્ષા સમિતિ દ્વારા આ પરીક્ષા આપનાર દરેક છાત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text