- text
વાંકાનેર : વાંકાનેર દિવનપરાના રણજીતપરામાં રહેતા ભરતભાઇ નરસીભાઈ સોલંકીને ઘેર પગથિયાં ચડતી વખતે પગમાં ઠેસ આવતા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text