શક્તિ માતાના મંદિરે જતા પદયાત્રીને હડફેટે લઈ મોત નિપજાવનાર આરોપી ઝડપાયો

- text


અકસ્માત સર્જીને ફરાર થઇ ગયેલા વાહન ચાલકને ગણતરીના દિવસોમાં ઓળખી કાઢી ભેદ ઉકેલાયો

મોરબી : ટંકારાના મેઘપર ઝાલા ગામેથી મોરબીના શકત શનાળા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરે પગપાળા દર્શને આવતા પદયાત્રીનું મોરબી નજીક વાહન અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઇ જનાર આરોપી વાહન ચાલકને ઝડપી લીધો હતો.

- text

ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતા હરદેવસિંહ ઝાલા ગત તા.27ના રોજ રાત્રિના સમયે પરિવાર સાથે ટંકારાના મેઘપર ઝાલા ગામથી મોરબી શનાળા શકિત માતાજીના મંદીરે પગપાળા દર્શનાર્થે આવી રહ્યા હતા અને મોરબીના રાજપર રોડ મામાદેવના મંદીરથી આગળ રોડની સાઇડમાં ચાલીને જતા હતા ત્યારે રાજપર ગામ તરફથી અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા સારવાર દરમિયાન હરદેવસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે અકસ્માત સર્જીને વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આથી પોલીસે આ અકસ્માતની ફરિયાદ નોંધી ફરાર થયેલા આરોપી વાહન ચાલક ઇરફાન રજાકભાઈ અબદાનને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text