- text
મોરબી : આજરોજ 30 ઓક્ટોબરના દિવસે મોરબીમાં બનેલી ઝૂલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે મૃતકોના મોક્ષાર્થે હિરેનભાઈ ભટાસણા દ્વારા ગાયોને સુખડી ખવડાવવામાં આવી હતી.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓના શાંતિ માટે અને પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તે માટે હિરેનભાઈ ભટાસણા દ્વારા માધવ ગૌશાળામાં ગાયોને સુખડી ખવડાવવામાં આવી હતી અને સાથે જ રવાપર ગામના ઝાંપે આવેલા ઉમાહોલ ખાતે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
- text
- text