Morbi: રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળાનું સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ

- text


મોરબી: વિકસતી જાતિ ગુજરાત રાજ્ય (ગાંધીનગર), નિયામક, સંચાલિત મોરબીના રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે.

- text

રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 34 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 29 વિદ્યાર્થીઓ ડિસ્ટન્કશન સાથે પાસ થયા છે અને 5 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા છે.
શાળામાં પ્રથમ નંબર મેળવનાર શેખ મહેશે 81.28% મેળવ્યા છે. મેટાળીયા મહેશ, ચૌહાણ વિક્રમ, માલકીયા સુમિત 80.28 % સાથે દ્વિતીય નંબર મેળવેલ છે. બાકીના પાંચ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ મેળ્યો છે. શાળાના 100 ટકા પરિણામ બદલ મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ.વી. લાવડીયાએ શાળા અને સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા છે.

- text